Thursday, January 30, 2014
જીમમાં રૂપિયો ખર્ચ્યા વગર ઉતારો વજન
Monday, January 6, 2014
હાર્ટએટેક અને પાણી
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે
હાર્ટએટેક અને પાણી – મને ક્યારેય આ જાણકારી નહતી ! માહિતી રસપ્રદ છે.
=================================================
બીજીપણ એવી વાત લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે
– ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે
હાર્ટએટેક અને પાણી – મને ક્યારેય આ જાણકારી નહતી ! માહિતી રસપ્રદ છે.
=================================================
બીજીપણ એવી વાત લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે
– ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે
(પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી મારા માટે નવીજ હતી – પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ તજજ્ઞએ આપેલી ખુબજ અગત્યની માહિતી:
=====================================
=====================================
- યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
- સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
- જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
- સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
- રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
- હું આમાં એક ઉમેરો કરવા ઈચ્છું છું મારા ફીઝીશીયને મને કહ્યું હતું કે રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ
- જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે
- પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
- માયો ક્લીનીકના ડૉ. Virend Somers કે જેમની આગેવાની માં તૈયાર થયેલો એક રીપોર્ટ કે જે ૨૦૦૮ ના
- અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે
- હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે
- વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
- જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર
- ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
- એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી
- (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
- બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ
- ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
- હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી
- પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો.
- પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
- નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
- મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને
- છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
- જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
- પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક”
- અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે.
- પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
- એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.
- મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો? આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન
- બચાવી શકે છે.
- જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.
દેશી તેલીબિયાંનાં તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ
ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા
| ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા |
|---|
| Kanti Bhatt |
| આખું વર્ષ નિરોગી રહેવા માટે શિયાળામાં ભરપૂર વસાણાં ખાવાં જોઈએ |
| અમારા મહુવામાં નૂરઅલી નામનો મુસ્લિમ ગળ્યા બરફના ગોળાની લારી લઈ નીકળતો અને બોલતો ''ઉનાળે હેમાળો’’ અને શિયાળામાં એ જ નૂરઅલી ''શિયાળે ગરમાટો’’ની બૂમ પાડીને અડદિયા લાડુની 'સસ્તી આવૃત્તિ’ વેચતો. આજે બીજાં શહેરોની જેમ મુંબઈમાં પણ કડક શિયાળો આવ્યો છે. ત્યારે અડદિયા લાડુ, કોપરાપાક અને ઘરે સગવડ હોય તો ગરમ ગરમ રોટલામા થીણું-થીણું ઘી અને ગોળ ખાવાની મોસમ આવી છે.
મોરારિબાપુ તો બારે માસ બાજરાનો રોટલો, ઘી અને દહીનું દડબું ખાય છે. આજે અનેક જાતનાં નક્કામાં ટોનિકો અને વિટામિનો વધી પડયા છે. પણ આપણું ખરેખર તો નિરોગી રહેવાનું ''દેશી ટોનિક’’ ગાયનું ઘી છે. શાપુરના વૈદ્ય કે રાજકોટના મનસુખભાઈ સુવાત્રિયા (પટેલ) જે સેવાભાવે ગાયનું ઘી પૂરું પાડે છે, તે ગીરની કે દેશી ગાયનું હોય છે.ઘી વિષે એક ખોટી માન્યતા છે. ભેંસના ઘીથી ચરબી વધે છે.
પણ ગાયનું દૂધ ખાય તો ગાયનું ઘી જ ખાવું. ગાંધીજીએ સ્થાપેલા ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમની ગૌશાળાનું ચોખ્ખું ઘી મને ૪પ વર્ષ પહેલાં ખાવા મળતું અને ત્યાનાં ડો. અગમ પ્રસાદે તો પ્રયોગ કરીને કન્જકટીવાઈટીસ નામના આંખના રોગમાં ગાયનું ઘી આંજીને ફટાફટ આંખનાં દર્દીને સારા કરેલા.મારા પિતા શરીરની ખોટી ગરમી દૂર કરવા તેમ જ આંતરડા તંદુરસ્ત રાખવા ગાયના દૂધમાં ગાયનું ઘી નાંખીને અગર તો ચામાં ગાયનું ઘી નાંખીને પીતા. કોઈને સાપ કે વીંછી કરડે ત્યારે ગાયનું ઘી ચટાડવામાં આવતું. મગજની શક્તિ વધારવા રાત્રે પગને તળિયે ગાયનું ઘી ઘસાતું. માત્ર લિવર અને હૃદયરોગવાળાએ ગાયનું કે ભેંસનું ઘી ખાવું ન જોઈએ.
મહીસુર ખાતેની ઈન્ડો અમેરિકન હોસ્પિટલના ડો. અમ્માને ગાયના ઘીની એક સરસ ઉપયોગિતા કહેલી. બાળક બહુ રડતું હોય તો ગરમ ગાયના દૂધમાં થોડું ગાયનું ઘી પીવરાવવાથી રડતું અટકી જાય છે ઘણાં બાળકો માતાને ધાવતા ન હોય તેને પણ ગાયનું ઘી દૂધમાં ચટાડવાથી ધાવતું થાય છે. યાદ રહે કે ઘી ગાયનું કે ભેંસનું તેમાં તળેલી કોઈ ચીજ ખાવી નહીં. હું રાજકોટ ગયો તો ત્યાં કમ્પ્યૂટરની મગજમારી કરતાં મારા યજમાન પટેલ સવારે થીણું ઘી જ ખાતા અને તે પણ ગીરની ગાયનું હવે બાકી રહે છે આ શિયાળાની મોસમમાં અડદિયા લાડુની વાત. ખ્યાલ રાખજો કે અડદિયા લાડુમાં ગાયનું ઘી જ વપરાય. ગાયોના દૂધમાંથી જે ઘી બને છે તે હૃદયરોગી પણ ખાઈ શકે છે.
ઊલટાનું કોલેસ્ટરોલ ઘટે છે સૌરાષ્ટ્રમાં મહુવામાં અમારા ફૈબાના ઘરે રહી ભણતો ત્યારે અમને ગાયના ઘીમાં બનાવેલા અડદિયા-લાડુ શિયાળે ખાવા મળતા. તે જમાનામાં ઘી ચોપડયા વગરનો રોટલો ખવાતો નહીં. તે વાંઝિયો રોટલો ગણાતો. લંડનનું ઈકોનોમિસ્ટ લખે છે કે અમેરિકામાં ૨૦૦૬માં આ વેજિટેબલની ચીજો ખાઈને પ૦૦૦૦ લોકો અકાળે મરેલા. હવે ભારતમાં તેલનું તલ ચોપડીને રોટલી ખાવી, પણ વેજિટેબલ તો નહીં જ નહીં. અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા સમૃદ્ધ હતા કે વાવણીમાં બળદને બમણું જોરથી કામ કરવું પડે એટલે બળદને ગાયનું ઘી પાતા.હવે અડદિયા અને અડદ કે અડદની દાળ જે સૌરાષ્ટ્રનો સ્ટેપલ ફૂડ હતો તેની વાત કરીએ. બીચારી ગરીબ અંગ્રેજી ભાષામાં અડદ માટે સ્વતંત્ર શબ્દ જ નથી એટલે અડદને બ્લેકગ્રામ કહે છે. અડદમાં કેલ્શિયમ અને ફોરફરસના ઉત્તમ તત્ત્વો છે, તેનો લાભ આજે લેતા નથી. અડદની દાળ ખાતા નથી.
અડદને પચાવવાની શિયાળાની મોસમ આવી પુંગી છે. હૈદરાબાદના ડો. અમ્માને અડદના આટાની ઓષધિય વાનગી બનાવીને ઘણાની નપુંસકતા દૂર કરેલી. આપણી બહેનો અડદના આટાનો લાભ લેતી નથી. અડદની દાળના આટાને ગરમ કરી તેનાથી વાળ ધુએ તો વાળ કાળા રહે છે અને માથાનો ખોડો જતો રહે છે. પણ અડદાના આટામાં મેથી પણ ભેળવવી જોઈએ. તમને માન્યામાં નહીં આવે પણ હું દક્ષિણ ભારત ગયેલો ત્યાં અડદને રાત્રે પલાળીને જેમ આપણે ઉગાડેલા મગ વાપરીએ છીએ તેમ ઉગાડેલા અડદનું શાક બનાવીને ખાઓ તો ડાયાબિટીસની દવા બને છે. ઉરૂલીકાંચનમા જે ખીચડી બને છે તેમા ઉગાડેલા મગની જ ખીચડી હોય છે.
અડદના પાપડનો લાભ લેવો હોય તો કૃપા કરી પાપડને તળશો નહીં. અમે તો નાના હતા ત્યારે અડદના પાપડ વણાતા હોય ત્યારે તેનાં લુવા લુખ્ખા ખાતા આજે આપણા કરતાં પાકિસ્તાનમાં અડદની દાળ કે તેની વાનગીઓ વધુ ખવાય છે. આંધ્રપ્રદેશમાં ડાંગરના પાક પછી બીજે નંબરે અડદનો પાક લેવાય છે. શ્રેષ્ઠ અડદની વાનગી અગર ઈડલી-ઢોંસા ખાવા હોય તો આંધ્રના ગતુર જિલ્લામાં જવું. પંજાબી ભાઈઓ પણ અડદની દાળને માનવતું નામ આપીને 'દાલ-મખની’ કહે છે. જૂના જમાનામાં બિલ્ડિંગના ચણતરને મજબૂત બનાવવા સિમેન્ટ -ચૂનામાં અડદનો આટો ભેળવાતો વિયેતનામનાં લોકો ડાહ્યા છે કે તે અડદની કેટલીય વાનગી ખાય છે. ફરી લખું છું કે તમારા પુત્ર-પુત્રી અને ખાસ કરીને દીકરીઓ અડદની વાનગી ગાયના ઘીમાં ખવરાવો તેના વાળ લાંબા અને કાળા થશે.
મુંબઈના આયુર્વેદના વૈદ્ય પંકજના પિતા ખીમજીભાઈ નરમ અને ભાવનગરના વૈદ્યનાં પિતા અડદની દાળ દર સપ્તાહે એકવાર ખાવાનું કહેતા. ભગવદગોમંડળ અને ભાવનગરના વૈદ્ય કહે છે અડદની વાનગી બળ આપનાર છે અને માંસ (મસલ્સ) વધારનાર છે. માતાનું ધાવણ વધારે છે. અમેરિકાના જૂના સંસ્કારવાળા ડોક્ટરો કહે છે કે ડિસે. જાન્યુ.માં શિયાળો સખત બને છે. ત્યારે માણસ લેથાર્જીક બને છે. સુસ્ત બને છે તેણે અડદની વાનગી ખાવી જોઈએ. ડો. પંકજે નવી વાત કહી જે જૂની છે કે, અડદ અદ્ભુત ''રસાયણ’’ છે, વાજીકરણ છે અને આયુષ્ય વધારનાર છે. પણ તમે પૂછશો કે આ ''રસાયણ એટલે શું? રસાયણ એ એવું ઔષધ કે ખાદ્યચીજ છે જે ઘડપણ દૂર કરનાર અને જુવાની આપનાર છે. ભાવનગરના વૈદ્ય કહે છે કે માંસમાં જેટલા પોષક, બળદાયક અને માંસ વધારનારા તત્ત્વો તે તમામ અડદમાં છે. બજારમાં તૈયાર મળતો અડદિયો ખાવા કરતાં ઘરે બનાવીને ખાવો. ધોળાના એક વૈદ્ય શોખ ખાતર અડદિયો બનાવીને મિત્રોને ખવરાવે છે.
|
Subscribe to:
Posts (Atom)



