Wednesday, March 27, 2013

વધારે સમય બેસવાથી ઘણી બીમારીઓ થાય છે


નવી દિલ્હી, 26 માર્ચ
ઓછા સમય સુધી સતત બેસવાથી વયમાં વધારો
આઠ કલાકથી વધારે સમય સુધી સતત ઓફિસ અથવા ઘરમાં બેસી રહેતા લોકોમાં ઘણી બીમારીઓનો ખતરો
આધુનિક સમયમાં લોકોને ઝડપથી બદલાયેલી લાઈફસ્ટાઈલના લીધે જુદા જુદા રોગોનો ખતરો વધી રહ્યો છે. જુદી જુદી બીમારીઓથી ત્રસ્ત લોકો તબીબો પાસે જરૃરી સલાહ લેવા માટે પહોંચી રહ્યા છે, આવા સમયમાં હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે જો વય વધારવી છે તો ઓછા સમય સુધી બેસવું જોઈએ. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સતત આઠ કલાકથી વધુ સમય સુધી ઓફિસમાં અથવા તો ઘરમાં સતત બેસવાની સ્થિતિમાં ઘણી બીમારીઓનો ખતરો થાય છે. વધારે સમય સુધી સતત બેસી રહેવાથી બીમારીઓને આમંત્રણ મળે છે. અમેરિકામાં કેન્સસ યુનિર્વિસટીના એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે જો સતત આઠ કલાક સુધી ઘર અથવા ઓફિસમાં એક વ્યક્તિ બેસી રહે છે તો ઘણી બીમારીઓનો શિકાર આ વ્યક્તિ થઈ શકે છે. સંશોધન દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે સતત ચાર કલાકથી વધુ સમય સુધી બેસનાર લોકોને થોડાક સમય બાદ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ સાથે સંબંધિત બીમારી થવાનો ખતરો વધી જાય છે. આ અભ્યાસ ઓફિસની અંદર કામ કરનાર લોકો અને સતત ટ્રક ચલાવનાર ડ્રાઈવરોને આવરી લઈને કરવામાં આવ્યા બાદ ચોંકાવનારા તારણો જારી કરાયા છે. અલબત્ત ગયા વર્ષે એક સંશોધનમાં એવો દાવો કરાયો હતો કે ત્રણ કલાકથી ઓછા સમય સુધી બેસનાર વ્યક્તિ પોતાની વયમાં બે વર્ષનો ઉમેરો કરી શકે છે. ૭૦ ટકાથી વધુ લોકો છ કલાકથી વધુ સમય સુધી ઓફિસમાં બેસીને સમય ગાળે છે. અભ્યાસના તારણો નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે ચિંતાજનક છે.
 
 ઓછા સમય સુધી બેસવું ખૂબ જ ઉપયોગ
 
- સતત આઠ કલાક સુધી ઓફિસ અથવા ઘરમાં બેસવાની બાબત ખૂબ જ ખતરનાક
- ઓફિસ અથવા ઘરમાં કલાકો સુધી સતત બેસવાથી ઘણી બિમારીઓને આમંત્રણ
- સતત આઠ કલાક સુધી ઘર અથવા ઓફિસમાં બેસવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીશ અને હાર્ટ એટેક થવાનો ખતરો
- સતત ચાર કલાકથી વધુ સમય સુધી ન બેસવાની સલાહ આપી
- ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ અને સતત ડ્રાઈવીંગ કરતા કર્મચારીઓને દાવો કરાયો
- ત્રણ કલાકથી ઓછા સમય સુધી સતત બેસી રહેતા લોકો વયમાં વધારો કરે છે
- ૭૦ ટકાથી વધુ લોકો છ કલાકથી વધુ સમય સુધી ખુરશી પર પોતાનો સમય ગાળે છે
 બપોરે ત્રણ વાગે લંચ લેવાથી વજન ઘટે છે
 
અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ લંચ લેતા લોકો વજન ઘટાડી શકે છે. તેમના વજનમાં અન્ય લોકોની સરખામણીમાં ઘટાડો થાય છે. વજન ઉતારવા સાથે સંબંધિત કાર્યક્રમના ભાગરૃપે ૪૨૦ સ્પેનીશ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ફોક્સ ન્યૂઝના અહેવાલમાં આ મુજબની વાત કરાઈ છે. જો કે અભ્યાસનો મતલબ એ નથી કે દરેક વ્યક્તિ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જ લંચની મજા માણે પરંતુ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મોડેથી દિવસમાં ભોજન લેવાથી ફાયદો થાય છે. સ્પેનીસ લોકો મોટાભાગે દિવસમાં મોડેથી ભોજન કરતા હોય છે. અભ્યાસના તારણો અમેરિકામાં રહેતા લોકો ઉપર લાગુ પડે છે કે કેમ તે અંગે આમા કોઈ દાવો કરાયો નથી. જો કે ઘણા લોકો આ અભ્યાસના તારણો ઉપર સહમત દેખાઈ રહ્યા નથી. કારણ કે આમા સંશોધકોએ વજનને જાળવી રાખવા માટે ક્યારેય ભોજન લેવું જોઈએ અને ક્યારેય નહીં તે અંગે કોઈ સમય આપ્યો નથી. સરેરાશ અમેરિકન દિવસમાં ૩.૫ વખત જમે છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એન્વાયમેન્ટ હેલ્થ સાયન્સ પાસેથી સંશોધનમા આ મુજબની વાત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આધુનિક સમયમાં શરીરની જરૃરિયાત મુજબ પોષક તત્ત્વો મોટાભાગના લોકો લઈ શકતા નથી.

No comments:

Post a Comment