Monday, April 15, 2013

હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન

ફિટનેસ - મુકુંદ મહેતા

હાસ્યનો મહિમા અપાર છે

- હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે ખુલ્લા દિલનું
ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન

હાસ્યચેપી છે. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય-ઉધરસ, છીંક, બગાસા કરતા પણ
વધારે ચેપી છે. હસતો માણસ સૌને ગમે. તમને ખબર તો છે કે હાસ્યને
'ઇન્ટરનેશનલ લેંગ્વેજ' કહી છે. ઇન્ટરનેશનલ કરન્સી પણ કહી છે. જ્યારે હસતા
માણસો ભેગા થાય ત્યારે અરસપરસ બંધુત્વની ભાવના વિકસે છે જેનાથી સુખ, આનંદ
અને શાંતિ મળે છે. હાસ્યથી શરીરમાં પણ એવા ફેરફાર થાય છે. શક્તિ, ઉત્સાહ
વધે છે. તમારી આંખની ચમક અને ચામડીની ચુસ્તી વધે છે. તમારી ઇમ્યુનીટી
એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચેપી રોગો સામે રક્ષણ મળે છે. શરીરના
દરેક પ્રકારના દુખાવા દૂર થાય છે. માનસિક તનાવ દુર થાય છે. સૌથી વધારે
અગત્યની વાત છે કે હાસ્યની દવા મફત છે. માનવી જો એનો સરસ રીતે ઉપયોગ કરે
તો લાંબુ જીવે છે. હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે
ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન.

૧. હાસ્ય તમારા આખા શરીને શાંત (રીલેક્ષ) કરે છે ઃ ફક્ત એક જ વખતનું
ખુલ્લા દિલથી કરેલ હાસ્ય તમારો માનસિક તનાવ દુર કરે છે. સ્નાયુ રીલેક્ષ
થાય છે. અને આ અસર ૪૦ મિનીટ સુધી રહે છે.

૨. હાસ્યથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઃ હાસ્યથી મગજમાં રહેલા
સ્ટેસ હોર્મોન (કોર્ટાકોસ્ટરોઇડઝ) ઓછા થાય છે. અને ઇમ્યુન સેલ્સ અને ચેપ
(બેક્ટેરીઆ)ને દુર કરનારા એન્ટી બોડીઝ વધે છે. જેથી રોગ સામે લઢવાની
શરીરની શક્તિ વધે છે. ચેપી રોગો થવાનો ભય જતો રહે છે.

૩. મગજની અંદર આનંદ અને ઉત્સાહ ભરનારા 'એન્ડોફીન'નીકળે છે ઃ તમારા શરીર
અને મનને આનંદ અને ઉત્સાહથી ભરી દેનારા એન્ડોફીન (નોસ્ફીન-નોટએડૂનેલીન-
ટ્રાયપોફને સેરોટીનીન) નીકળે છે. જેનાથી મનને અને શરીરને નુકશાન કરનારા
નેગેટીવ ભાવ જાય છે અને શરીરના દુખાવા દુર થાય છે.

૪. હાસ્ય થી હૃદયને રક્ષણ મળે છે ઃ ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી
રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધે છે અને તેથી લોહીનો પ્રવાહ શરીરમાં પહોચે
છે. હૃદયની કાર્યશક્તિ વધે છે.
હાસ્યના કેટલા બધા ફાયદા છે

શારિરીક ફાયદા ઃ ૧. તમારી યાદ શક્તિ વધે છે. ૨. સ્ટ્રેસ હોર્મોન ઓછા કરે
છે. ૩. શરીરના દુખાવા દુર કરે છે. ૪. સ્નાયુઓ રીલેક્ષ (ઢીલા) કરે છે. ૫.
હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. ૬. બી.પી. વધતુ નથી.

માનસિક ફાયદા ઃ ૧. જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારે છે. ૨. ચિંતા અને ભય
દૂર કરે છે. ૩. માનસિક તનાવ દુર કરે છે. ૪. મુડ સુધરે છે. ૫. તમારી
સહનશક્તિ વધારે છે. ૬. ચિંતા-ક્ષોભ- હિણપતનો ભાવ બધુ જતુ રહે છે.

સામાજીક ફાયદા ઃ

 ૧. સમાજના અન્ય લોકો (મિત્રો-પાડોશી-સગા વહાલા) ની સાથે સબંધ બંધાય છે.

 ૨. હાસ્યથી તમારી માનસિક અને શારિરીક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાથી
લોકોમાં તમે પ્રિય થાઓ છો.

૩. પ્રત્યેક વ્યક્તિ સાથે કુટુંબ ભાવ વધે છે. અંદર અંદર તકરાર અણબનાવ અને
ગેરસમજ થવાની શક્યતા રહેતી નથી. ૫. એક બીજાના આધાર રૃપ બનવાથી
પ્રેમ-લાગણી વધે છે. ૬. જીવન જીવવા જેવું લાગે છે. હાસ્ય અને રમુજી
સ્વભાવ તમને લાગણીસભર બનાવે છે.

કુટુંબની વ્યક્તિ કે બીજાની સાથે હાસ્ય અને રમુજી સ્વભાવથી એકરૃપતા આવે
છે. તમારા સારા સ્વભાવની અસર પહેલા તમારા કુટુંબીજનો પર અને પછી સમાજની
બીજી વ્યક્તિઓ પર થાય છે. દુખનો ભાવ અને શારિરીક દુખાવો દુર થાય છે.
હાસ્યની ક્રિયાથી તમારા શરીરમાં આવેલ ઉત્સાહ અને આનંદને કારણે સામાન્ય
રીતે મુશ્કેલ લાગતી પરિસ્થિતિ પણ આસાન થઇ જાય છે. કોઇનું હાસ્ય જોઇને કે
સાંભળીને તમારા મનમાં પણ આનંદની લહર ફેલાઇ જાય છે. એટલું જ નહી પણ તેની
તમારા સ્વભાવ પર અસર પડે છે. કાયમ ખુશખુશાલ રહેતી વ્યક્તિને જોઇ તમે
જાણેઅજાણે તેની ઉપર થયેલી અસરને ધીરેધીરે અનુભવો છો. તમે થોડાક સમયમાં
સ્વભાવથી વાણીથી વર્તનથી વ્યવહારથી એકદમ સરળ અને લાગણી સભર બની જાઓ છો.

હાસ્ય અને મનની આલ્હાદકતાનો સબંધ

1. તમારો સ્વભાવ જે પહેલા ગુસ્સાવાળો હતો વારંવાર નારાજ થઇ જતા હતા.
ચિંતાવાળા બનતા હતા તે હાસ્યની ક્રિયાને કારણે થોડા જ સમયમાં બદલાઇ જશે.

૨. આગળ જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ (તનાવ) જેને તમારા મન સાથે સબંધ છે. તે જતો રહે છે.

૩. હાસ્યથી તમારી એકાગ્રતા વધે છે. યાદ શક્તિ વધે છે. અને મન શાંત હોવાથી
તેની શક્તિ ખૂબ વધે છે.

૪. કોઇપણ પરિસ્થિતિને હળવાશથી લેવાની આદત પડે છે.

હાસ્યકલબમાં જઇ બધાની સાથે હસવાથી થતા ફાયદા

૧. એકબીજાની સાથે પ્રેમ- લાગણી ભાવ વધે છે. એકબીજાના આધાર રૃપ બને છે.

૨. મોટી ઉંમરના લોકોને પણ આ પ્રકારના હાસ્યમાં ભાગ લેવાથી બધાની સાથે
બિંધાસ્ત હસવાથી ખુબ આનંદ આવે છે.એટલું જ નહી પણ દુખનો ભાવ જતો રહે છે.

૩. મોટી ઉમરે પણ હાસ્યકલબમાં જવાથી તમારા મગજના નેગેટીવ વિચાર જતા રહે
છે. અને જીવન જીવવા જેવું લાગે છે.

૪. રોજેરોજના જીવનમાં પણ સ્થિરતા આવે છે. સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવે છે.

૫. હાસ્યક્લબમાં જવાની શરૃઆત કરતા પહેલા ચિંતા-ઉતાવળ-ગભરામણ વગેરે
રોજીંદા જીવનમાં ખુબ હતા તે અત્યારે જતા રહેશે.

૬. રોજીંદા જીવનના બધાજ પ્રસંગોને હળવાશથી લેવાની અને દરેક માંથી હાસ્ય
નિપજાવવાની આવડત આવે છે.

૭. કોઇએ તમારી મજાક મશ્કરી કરી હોય તો તેનો પણ એવી જ મજાક મશ્કરીમાં જવાબ
(પ્રતિભાવ) આપવાનું સરળ બને છે.

૮. તમારો સ્વભાવ લાગણીસભર બને છે. દરેકને માન લાગણી આપવાથી તમને પણ એટલું
માન લાગણી મળે છે.

૯. દુશ્મનને પણ મિત્ર બનાવવાની કળા તમને આવડી જાય છે.

૧૦. તમારી વિચારશક્તિ સ્મરણ શક્તિ, એકાગ્રતા વધે છે.
તમારા જીવનમાં હાસ્યવૃતિ કેવી રીતે કેળવશો ?

૧. ખુબ હસવું આવે એવી ટીવી સીરીયલ કે ફીલ્મ જુઓ કુટુંબ સાથે કે મિત્રો
સાથે રાજકારણની કે સામાજીક જંજાળોની કે શેરબજારની વાતો કરવાથી હાસ્ય જતું
રહેશે. મગજ ભારે થઇ જશે. વિચારો નકારાત્મક થશે અને આનંદ આવવાનો દુર
રહ્યો, અકળામણ વધશે.

૨. તમારા ગામમાં કે શહેરમાં કોમેડી કલબ હોય તો તેમાં જાઓ કોઇ હાસ્ય લેખક
કે હાસ્ય કલાકારનો કાર્યક્રમ હોય તો તેમાં જાઓ.
૩. હાસ્યપ્રેશ્ક લેખો કે વાર્તાઓ વાંચો.
૪. મહિને બે મહિને કોઇ નવી જગાએ મિત્રો સાથે પિકનીક કરો અને દરેકને
પોતાના જીવનના સાચા કે ઉભા કરેલા મજા મશ્કરીના પ્રસંગો જણાવવા કહો.
૫. તમારી નજીકની હાસ્ય કલબમાં જાઓ. અને સક્રીય ભાગ લો.
૬. નાના બાળકો સાથે રમતો રમો. તેમના નિર્દોષ હાસ્યને અનુભવો.
૭. હાસ્ય અને હાસ્યવૃત્તી એ તમારો જન્મસિધ્ધ હક છે માટે રોજરોજ ખુદ હસો.
લોકોને હસાવો અને નાનીમોટી રોજીંદા જીવનની સઘળી તકલીફોને ''હસી કાઢો''
હાસ્યનું ઉત્પત્તિસ્થાન કયુ ?
આપણા પુરાણોમાં નવ રસ ગણાવ્યા છે. તેમાં હાસ્ય રસ ગણાવેલ છે. શૃંગાર,
કરૃણ, અને વીર આ ત્રણ મુખ્ય રસોના વિભાગમાં શૃંગાર રસના એક ભાગ તરીકે
હાસ્ય રસને ગણ્યો છે. આમ છતાં હાસ્ય રસને રસસજ એટલા માટે કહેલ છે. કે
પરમેશ્વરે જાણે અજાણે હાસ્યની પ્રવૃતિ અથવા ક્ષમતા ફક્ત મનુષ્યને જ આપી
છે. પ્રાણી કે પક્ષી હસી શકતા નથી. ભરતમુનીએ શૃંગાર રસના ભાગરૃપે હાસ્યરસ
ગણાવી તેના પેટા વિભાગમાં ૧. સ્મિત ૨. હસીત ૩. વિહસિત ૪. ઉપહસીન ૫.
અપહસીન અને ૬. અતીહસીન એમ છ ભાગ પાડયા છે. ગુજરાતમાં ચાલતી બધી જ લાફીંગ
કલબોમાં વિહસન (ખુલ્લાદિલનું ખડખડાટ હાસ્ય)  ઉપહસીન (અશ્વહાસ્ય- અવાજ
કર્યા વગર હસવું અને સ્મિત (મૌન હાસ્ય) આ ત્રણ પ્રકારના હાસ્યનો સમાવેશ
કરેલો છે. કોઇ કારણ હોય કે ના હોય હસવું સહજ છે. આમ છતાં હાસ્યને કોઇની
વિચિત્ર પરિસ્થિતિ (કેળાની છાલથી લપસી પડેલ વ્યક્તિને જોઇને આવતું હાસ્ય)
અને પરપિડનવૃત્તિ માંથી નીકળે છે. હાસ્ય એ મનની કુદરતી અવસ્થા છે. પોતાની
પાસે છે તે બધું સરસ છે તેમ માનનારા સામાન્ય માણસો સહેલાઇથી હસી શકે છે.
જ્યારે અતિ ધનવાન વ્યક્તિ આ રીતે હસી શકતી નથી.
હાસ્ય વિષે થયેલા સંશોધનો

૧. લોમા લીન્ડા યુનિવર્સિટી (કેલીફોર્નિયા) માં હાસ્ય વિષે જે સંશોધનો
થયા છે, તે અનુસાર જ્યારે માનવી હસ છે ત્યારે પ્રખ્યાત સંશોધક અને માનસ
ચિકિત્સક ડો.સીબર્કના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા ત્રણ
હોર્મોન ૧. કોલેસ્ટોલનું પ્રમાણ ૩૯ ટકા ધટે છે. ૨. એપીનેફીનનું પ્રમાણ ૭૦
ટકા ઘટે છે. અને ૩. ડોમેક નામના હોર્મોન ૩૮ ટકા ઘટે છે.

૨. અમેટીકાના ડો. રોબર્ટ જેમણે હાસ્ય વિશે જે સંશોધનો કર્યા છે તેમણે
નોંધ્યું છે કે ૮૦૦ જેટલી સ્ત્રી પુરુષોનો કોમેડી નાટક બતાવ્યા પછી તપાસ
કરતાં તેમના શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા બધા જ હોર્મોન ઓછા થયા હતા
અને તે બધા જ સ્ત્રી પુરૃષોનો મનોભાવ દેખાવ અને વર્તનમાં ખુબ જ હકારાત્મક
ફેરફાર દેખાયો હતો.

૩. હાસ્ય ચેપી છે એવું દુનિયાના દરેક દેશોમાં જોવામાં આવ્યું છે. કારણ
વગર તાન્ઝાનીયઆની એક સ્કૂલમાં એક છોકરી હસવા માંડી તો કલાસની બધી છોકરીઓ
એટલું બધું હસી કે કંટ્રોલ ના કરી શકી. આંખમાં પાણી આવી ગયા.

૪. અમેરિકાની ૩૭ યુનિવર્સિટીમાં હાસ્ય વિષે સંશોધન થયા છે.તેમાં અમેરિકન
મેડીકલ જર્નલમાં પ્રગટ થયેલા એક લેખ પ્રમાણે ફક્ત ૧૦ મિનીટ હસવાથી
બી.પી.નું ૧૦ થી ૨૦ જેટલું પ્રમાણ ઓછું થાય છે.

૫. ડયુક યુનિવર્સિટીમાં ડોવી જીયાંગે ૧૦૦૦ હૃદયરોગના દર્દીઓ ઉપર પ્રયોગ
કરી નક્કી કર્યું છે કે જે લોકો આનંદમાં રહેતા હતા અને ખુબ હસવાના
પ્રયોજનો કરતા હતા તેમાંના ૮૦ ટકા લોકોનું સ્વાસ્થ્ય સારૃ થઇ ગયું.

૬. ઇન્ડીઆના યુનિમાં થયેલા એક પ્રયોગમાં જે ગુ્રપના સ્ત્રી પુરૃષોને
કોમેડી ફિલ્મ બતાવી તેઓના લોહીમાં ક્લિર સેલ્સનું પ્રમાણ વધ્યું અને
તેઓની ઇમ્યુનીટી વધી.

૭. સ્ટેનફર્ડ યુનીના ડો.વિલીયમ ફ્રાય જે પ્રખ્યાત સાઇકીઆટ્રીરીસ્ટ છે
તેમણે ૫૦૦૦ વ્યક્તિઓ પર પ્રયોગ ૨૦ વર્ષ સુધી કરી નક્કી કર્યું છે કે ફક્ત
૩૦ મિનિટના ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી

 ૧. તમારી ઇમ્યુનીટી વધે છે.

૨. શરીરમાં આનંદ પ્રેરે તેવા હોર્મોન ઉત્પન્ન થાય છે.

 ૩. સ્ટ્રેસ હોર્મોન એડૂનેલીન અને કોટોસેલ ઓછા થાય છે.

૪. દુખાવો અને ડીપ્રેશન દુર કરનારા એન્ડોફીન શરીરમાં ઉત્પન્ન થાય છે.

 ૫. ૨૦ મિનીટના હાસ્યથી શરીરમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય છે. શરીરમાં
લોહીનું પરીભ્રમણ કરનારી નળીઓમાં એથેશેસ્કલએસીસ (નળીઓ કડક થવી) થતું બંધ
થાય છે.

 ૬.એન્ટીબોડીઝ વધે છે. ચેપી રોગ થતા નથી.

 ૭. હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થાય છે.

લાર્ફીનગ બુધ્ધા કોણ હતા ?

૩૦૦૦ વર્ષ પહેલા જુના ચાઇનામાં હોટેઇ નામના એક સંત આખા દેશમાં પરિભ્રમણ
કરતા હતા અને ચાર રસ્તે કોઇ ખુણામાં ઉભા રહી ખુબ હસતા હતા. તેમને જોઇ
લોકો હસતા હતા.. જે લોકો હસતા હતા તેમને શરીરમાં ઘણા ફેરફાર થયા ઘણાની
બિમારી જતી રહી. ઘણાના માનસિક સંતાપ ઓછા થયા આ વખતે મેડીકલ સાયન્સ એટલું
બધું વિકસેલું નહી એટલે દરેક જણ આ હોટેઇને દિવ્ય પુરુષ માની તેમની કૃપાથી
પોતાની શારિરીક અને માનસિક પરિસ્થિતિ સારી થઇ આ કારણથી તેઓએ તેમનું નામ
'લાફીંગ બુધ્ધા 'પાડયું, જે હાસ્યના આદ્યપુરુષ ગણાય છે.

No comments:

Post a Comment